તિરુપતિઃ તિરુમાલાતિરપતિ દેવસ્થાનમાં (ટીટીડી)ની આવકનો ગ્રાફ ૨૦૨૦-૨૧ નાણાકીય વર્ષમાં ઊંચો રહેશે. બજેટ અંદાજો મુજબ હૂંડી અને મૂડીકીય આવકો રૂ. ૧૩૫૧ કરોડ રહેવાની સંભાવના છે. વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન આવકના અંદાજો રૂ. ૧૩૧૩ કરોડ હતા. ટીટીડી વિવિધ રાષ્ટ્રીયકૃત બેંક્સમાં રૂ. ૧૪,૦૦૦ કરોડની થાપણો ધરાવે છે. તેને પગલે ટ્રસ્ટે રૂ. ૭૦૬.૦૧ કરોડની આવક થવાની સંભાવના છે. વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ લાડુના વેચાણની મદદથી ટીટીડી રૂ. ૪૦૦ કરોડ, પ્રસાદમના વેચાણથી રૂ. ૩૩૦ કરોડ, દર્શન ટિકિટોના વેચાણથી રૂ. ૨૪૫ કરોડ, ખંડો અને મંડપમના ભાડાની આવકમાં રૂ. ૧૧૦ કરોડ થવાના અંદાજ છે. આ ઉપરાંત દેવસ્થાન અન્ય રાહે પણ આવકો ધરાવે છે.