તિરુપતિ મંદિરે દર્શનાર્થી ઘટ્યા, પણ હુંડી કલેક્શન ૨૦૦ ટકા વધ્યું

Wednesday 07th July 2021 05:27 EDT
 
 

તિરુમાલાઃ કોરોનાની બીજી લહેરમાં આંશિક લોકડાઉન દરમિયાન પણ તિરુપતિમાં ભગવાન શ્રીનિવાસનના દર્શન ચાલુ હતા. આ દરમિયાન અહીં રોજ સરેરાશ ૧૫થી ૧૮ હજાર શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. તિરુપતિ બાલાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા આ સંખ્યા ભલે સરેરાશ કરતાં ઓછી હોય, પણ વીતેલા એક જ મહિનામાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનના હુંડી કલેક્શન મે મહિનાની તુલનામાં ૨૦૦ ટકા વધારો નોંધાયો છે. શ્રદ્ધાળુઓએ એક મહિનામાં આશરે રૂ. ૩૬ કરોડનો ચઢાવો આપ્યો છે.
સામાન્ય દિવસોમાં અહીં રોજ રૂ. ૨-૩ કરોડનો ચઢાવો આવે છે. જાહેર રજા કે બ્રહ્મોત્સવ જેવા પ્રસંગે આ આંકડો વધીને રૂ. ૫-૭ કરોડ થાય છે.
મંદિરની સારસંભાળ લેતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાન (ટીટીડી)નું કહેવું છે કે, શ્રદ્વાળુઓની સંખ્યા ૫૦૦૦ સુધી સીમિત કરવા છતાં ચઢાવવામાં મોટું અંતર નથી દેખાતું. ટીટીડીની કાર્યકારી સમિતિએ હાલમાં શ્રદ્વાળુઓની સંખ્યા વધારવામાં ઇરાદે બેઠક કરી હતી. જોકે, ટ્રસ્ટે હાલ શ્રદ્વાળુઓની સંખ્યા વધારવાનો ઇનકાર કરી દીધો છે.
ટીટીડીના અધ્યક્ષ એસ. વી. સુબ્બા રેડી કહે છે કે શ્રદ્વાળુઓની સંખ્યા વધારવાનો નિર્ણય લઇશું, પરંતુ તેનો ચોક્કસ સમય ના કહી શકાય. હાલ તિરુપતિમાં ૨૦ કિમી પહેલાં આવતા અલીપીરી ટોલગેટની શ્રદ્વાળુઓ આવી રહ્યા છે. અહીં તેમની શારીરિક તપાસ કરાઇ રહી છે. સીધા આવતા શ્રદ્ધાળુઓને પરત મોકલાઇ રહ્યા છે. કન્ટેઇમેન્ટ ઝોનથી આવતા શ્રદ્વાળુઓને પણ પાછા મોકલાય છે, પછી ભલેને તેમણે ઓનલાઇન ટિકિટ લીધી હોય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter