દિલ્હીમાં વિપક્ષો એકજૂથઃ મોદી હટાવોનો સૂત્રોચ્ચાર

Thursday 14th February 2019 06:00 EST
 
 

નવી દિલ્હીઃ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં જંતરમંતર પાસે આયોજિત ‘મોદી હટાવો દેશ બચાવો’ રેલીમાં સંખ્યાબંધ વિરોધપક્ષો હાજર રહ્યા હતા. મોદી સરકાર વિરોધી મોરચાએ કેન્દ્ર સરકારની નીતિઓની ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ ૧૩મીએ મોડી રાત્રે એનસીપીના નેતા શરદ પવારના નિવાસસ્થાને નેતાઓની બેઠક યોજાઈ હતી. તેમાં ચંદ્રાબાબુ નાયડુ, રાહુલ ગાંધી, મમતા બેનરજી, ફારૂક અબ્દુલ્લા અને અરવિંદ કેજરીવાલે હાજરી આપી હતી. રાહુલે બેઠક બાદ જણાવ્યું કે, મોદીને હરાવવા માટે તમામ પક્ષો એક થઈને કામ કરવા તૈયાર થયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter