ઇટાનગરઃ અરુણાચલ પ્રદેશનાં પાટનગર ઇટાનગરનાં બજાર કલ્યાણસંગઠનને દિવાળી પર્વે ત્રણ દિવસ ગેમ્બલિંગની મંજૂરી આપવા જિલ્લા મેજિસ્ટ્રેટે ઇનકાર કરતાં ઇટાનગર ત્રણ દિવસ બંધ રહેશે. સંગઠને એવી ચીમકી આપી છે કે એસ. કે. સિંહની ત્રણ દિવસમાં બદલી કરવામાં ના આવે તો દુકાનો અને બિઝનેસ લાંબા સમય સુધી બંધ પાળશે. ઇટાનગરમાં દિવાળી પર્વે ડાઇસ થ્રો કરીને ખાસ રીતે રમાતા પરંપરાગત જુગાર માટે ઊભા થયેલા શમિયાણા પણ જિલ્લા વહીવટીતંત્રે દૂર કર્યા હતા.