નાણાંપ્રધાન નિર્મલા સીતારામન્ શાકમાર્કેટમાં...

Saturday 15th October 2022 05:09 EDT
 
 

વિશ્વની સાથે સાથે ભારતમાં પણ મોંઘવારીએ માઝા મૂકી છે અને લોકો માટે જીવનજરૂરી વસ્તુઓની ખરીદી પણ મુશ્કેલ બની છે ત્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારામન શનિવારે ચેન્નાઈની મુલાકાત દરમિયાન અચાનક જ માયલાપુર બજારની મુલાકાતે પહોંચ્યાં હતાં અને એક સામાન્ય ગૃહિણીની જેમ શાકભાજી ખરીદ્યા હતાં. નાણાંમંત્રીના ટ્વિટર હેન્ડલ પરથી આ વીડિયો રવિવારે શેર થતાં જ અનેક લોકોએ જાણે શાકવાળાને કહેતા હોય તેમ ટ્વિટ કર્યું હતું કે નાણાંમંત્રી પાસેથી જીએસટી લેવાનું ચૂકતાં નહીં. ભારત સરકારે સોમવારથી આગામી બજેટ માટે તૈયારી શરૂ કરી છે ત્યારે લોકોને આશા છે કે નાણાંમંત્રીને શાકભાજી ખરીદી સાથે મોંઘવારીનો ખ્યાલ આવી ગયો હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter