નિર્ભયા કેસઃ ચારેયને ત્રીજી માર્ચે ફાંસીની શક્યતા

Friday 21st February 2020 04:01 EST
 
 

નવી દિલ્હીઃ નિર્ભયા કેસના આરોપીઓ માટે દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટે ત્રીજી વખત ડેથ વોરન્ટ જાહેર કર્યું છે. લેટેસ્ટ વોરંટ મુજબ ૩જી માર્ચે સવારે ૬ વાગ્યે દોષિતોને ફાંસી આપી દેવાશે. જોકે ફાંસી ખરેખર થાય ત્યારે જ લોકોને વિશ્વાસ પડશે. કેમ કે અગાઉ બે વખત ડેથ વોરંટ જાહેર કરાયું છે, પરંતુ ફાંસી થઈ નથી.
ફાંસી ન થવાનું કારણ કાનૂની ગૂંચવણ છે. હજુ પણ આપેલી તારીખે ફાંસી થાય કે કેમ એ ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી. ચાર પૈકીના એક આરોપી પવન પાસે હજુ પણ ફાંસી અટકાવવા માટેના કાનૂની વિકલ્પો બાકી છે. તેનો ઉપયોગ કરે એટલે ફરીથી ફાંસી ટલ્લે ચડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter