નવી દિલ્હીઃ નિર્ભયા કેસના આરોપીઓ માટે દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટે ત્રીજી વખત ડેથ વોરન્ટ જાહેર કર્યું છે. લેટેસ્ટ વોરંટ મુજબ ૩જી માર્ચે સવારે ૬ વાગ્યે દોષિતોને ફાંસી આપી દેવાશે. જોકે ફાંસી ખરેખર થાય ત્યારે જ લોકોને વિશ્વાસ પડશે. કેમ કે અગાઉ બે વખત ડેથ વોરંટ જાહેર કરાયું છે, પરંતુ ફાંસી થઈ નથી.
ફાંસી ન થવાનું કારણ કાનૂની ગૂંચવણ છે. હજુ પણ આપેલી તારીખે ફાંસી થાય કે કેમ એ ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી. ચાર પૈકીના એક આરોપી પવન પાસે હજુ પણ ફાંસી અટકાવવા માટેના કાનૂની વિકલ્પો બાકી છે. તેનો ઉપયોગ કરે એટલે ફરીથી ફાંસી ટલ્લે ચડી શકે છે.