નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામજન્મભૂમિ કેસની સુનાવણી ચાલી રહી છે ત્યારે એમાં એક રોચક વળાંક આવ્યો છે. નિર્વાણી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડે ફરી મધ્યસ્થી પેનલ દ્વારા આ મુદ્દે કોર્ટની બહાર સમાધાન થાય એવો માર્ગ અપનાવ્યો છે અને આ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત મધ્યસ્થી પેનલના ચીફ એફ. એમ. કલીમુલ્લાને પત્ર લખ્યો છે. મધ્યસ્થતા પેનલ સમક્ષ જવાના મુદ્દે મુસ્લિમ પક્ષકારોમાં વિવાદ જોવા મળ્યો છે. રામ જન્મભૂમિ હિન્દુઓને આપવામાં કોઈ વાંધો નથી, પણ એના પછી હિન્દુઓએ અન્ય કોઈ મસ્જિદ કે ઈદગાહ પર દાવો કરવો જોઈએ નહીં.