મુર્શિદાબાદઃ તાજેતરમાં મુર્શિદાબાદમાં રહેતા ૩૫ વર્ષીય શિક્ષક બંધુપ્રકાશ પાલ, તેની ગર્ભવતી પત્ની અને આઠ વર્ષના પુત્રની ઘાતકી હત્યા થઈ હતી. આ ત્રિપલ મર્ડર કેસમાં બે આરોપીઓની ધરપકડ થઈ હતી. શિક્ષક શિક્ષણ સંઘ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરાયો હતો. આ ત્રિપલ મર્ડર મુદ્દે રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે. બંધુપ્રકાશ આરએસએસ સાથે જોડાયેલા હતા. આ ઘટનાના વિરોધમાં સંઘ અને ભાજપે મુર્શિદાબાદમાં રેલી યોજવાની જાહેરાત કરી હતી. આ ત્રિપલ મર્ડર કેસના ઘેરા પડઘા પડયા હતા. રાજ્યપાલ જયદીપ ધન્ખરે કહ્યું હતું કે આ માનવતા માટે ખૂબ જ ખરાબ બાબત છે.