પત્રકાર રવીશ કુમારને મેગ્સેસે એવોર્ડ એનાયત

Wednesday 11th September 2019 09:28 EDT
 

મનિલાઃ ભારતીય પત્રકાર રવીશ કુમારને સોમવારે એશિયાના નોબેલ પુરસ્કાર તરીકે ઓળખાતા રેમેન મેગ્સેસે એવોર્ડથી સમ્માનિત કરાયા છે. તેમણે કહ્યું કે ભારતીય મીડિયા ‘સંકટ’ની અવસ્થામાં છે અને આ અચાનક કે આકસ્મિક થયું નથી, પરંતુ સુનિયોજીત રીતે અંજામ અપાયો છે. મેગ્સેસે એવોર્ડના પ્રશસ્તિ પત્રમાં કહેવાયું છે કે, ભારતના પ્રભાવશાળી ટીવી પત્રકારોમાં એક રવીશ કુમાર (૪૪ વર્ષ) પોતાના સમાચારોમાં સામાન્ય લોકોની સમસ્યાને અગ્રતા આપે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter