નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર્સ (એનએસએ) સ્તરની મંત્રણા રદ થવા બદલ માટે પાકિસ્તાને ભારતને જવાબદાર ઠરાવ્યું છે. પાકિસ્તાનના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર સરતાજ અઝીઝે સોમવારે જણાવ્યું હતું કે ભારત સરકાર એવો વ્યવહાર કરી રહી છે કે જાણે કે તે આ ક્ષેત્રનું સુપર પાવર હોય, પરંતુ અમે પણ ઓછા નથી. પાકિસ્તાન એક પરમાણુ સંપન્ન રાષ્ટ્ર છે. અમે જાણીએ છીએ કે પોતાના દેશની સુરક્ષા કેવી રીતે કરાય છે.
સરતાજ અઝીઝે જણાવ્યું કે ભારત ઉફા સમજૂતીનો ભંગ કરીને પોતાનો એજન્ડા થોપી રહ્યું છે. એનએસએ સ્તરની મંત્રણા રદ થવા માટે કોઇ પણ સંજોગોમાં પાકિસ્તાન જવાબદાર નથી.