મુંબઈઃ નેસ્કો મેદાનમાં યોજાયેલી સભામાં રવિવારે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, અખંડ ભારત અમારું સ્વપ્નું છે. આજના કાશ્મીર માટે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ જ જવાબદાર છે. ૧૯૪૭માં જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરેલા પાકિસ્તાની સૈનિકો સાથે ભારતીય લશ્કર લડતું હતું. જોકે છેલ્લી ઘડીએ નેહરુએ યુદ્ધવિરામનો નિર્ણય લીધો અને પીઓકેનું કાશ્મીર નિર્માણ થયું.