બસ ડ્રાઇવરનું ઝોકું ૨૯ પ્રવાસીની જિંદગી ભરખી ગયું

Wednesday 10th July 2019 06:46 EDT
 
 

લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉને દેશની રાજધાની સાથે જોડનાર યમુના એક્સપ્રેસ વે ‘મોતનો એક્સપ્રેસ’ બન્યો છે. યમુના એક્સપ્રેસ વે પર સોમવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લખનઉથી દિલ્હી જઈ રહેલી ઉત્તર પ્રદેશ રોડવેઝની એક બસના ચાલકને ઝોકું આવી જતાં બસ ઝરના નાળામાં ખાબકી હતી, જેમાં ૨૯ પ્રવાસીનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં તો ૨૦ કરતાં પણ વધારે પ્રવાસી ઘાયલ થયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter