બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનો પાકિસ્તાન દ્વારા વિરોધ

Wednesday 05th September 2018 06:49 EDT
 

લાહોર: ભારત અને પાકિસ્તાન વચ્ચે લાહોરમાં યોજાયેલી સિંધુ જળસંધિ અંગેની વાટાઘાટો ૩૦મી ઓગસ્ટે પૂરી થઇ હતી. આ ચર્ચામાં પાકિસ્તાને ચેનાબ નદી પર ભારતના બંધાઇ રહેલા બે હાઇડ્રોપાવર અંગે વિરોધ નોંધાવ્યો હતો. ભારતે આ વિરોધને ફગાવી દીધો હતો. પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર બન્યા બાદ પ્રથમ વાર યોજાયેલી મંત્રણા બાદ પાકિસ્તાનના વોટર કમિશનરે જણાવ્યું હતું કે આ મુદ્દે કોઇ નિવેદન પ્રસિદ્ધ નહીં થાય. આ સંવેદનશીલ મુદ્દો છે અને વિદેશ મંત્રાલય નિવેદન આપશે. ભારતે પાકિસ્તાનો વિરોધ ફગાવી બંને હાઇડ્રોપાવર સ્ટેશનનું બાંધકામ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter