ભગવાન કૃષ્ણના જન્મસ્થાન નજીકથી મસ્જિદ હટાવવા માગ

Tuesday 29th December 2020 16:00 EST
 

મથુરાઃ ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થાન પાસેથી શાહી ઇદગાહ મસ્જિદને હટાવવા માટે મથુરા કોર્ટમાં ત્રીજી અરજી દાખલ કરી છે. અરજી મુખ્ય દેવતા વિરાજમાન ઠાકુર કેશવ દેવજી મહારાજ અને ચાર અન્યએ દાખલ કરી છે. અરજીમાં માગ કરાઇ કે મથુરા કોર્ટના ચૂકાદાના માધ્યમથી ૧૯૬૮માં થયેલી સમજૂતીને રદ કરવામાં આવે.
આ જમીન સમજૂતી શાહી ઇદગાહ મસ્જિદ મેનેજમેન્ટ સમિતિ અને શ્રીકૃષ્ણ જન્મ સ્થાન સેવા સંસ્થાન વચ્ચે થઇ હતી. તેમના વકીલ મહેન્દ્ર પ્રતાપ સિંહ કહ્યું કે મુખ્ય આગ્રહ શાહી મસ્જિદ ઇદગાહને કોઇ બીજા સ્થાળાંતરિત કરવાનો છે. કેમ કે મસ્જિદ વિરાજમાન ઠાકુર કેશવ દેવજી મહારાજની જમીન પર બની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter