ભાગવતઃ મહાત્મા ગાંધી ખુદને કટ્ટર સનાતની હિન્દુ માનતા હતા

Wednesday 19th February 2020 06:24 EST
 

નવી દિલ્હી: આરએસએસના સરસંઘચાલક મોહનભાગવતે કહ્યું કે મહાત્મા ગાંધીએ ખુદને કટ્ટર સનાતની હિન્દુ ગણાવ્યા હતા. ભાગવતે બાપુના જીવનદર્શન પર આધારિત પુસ્તકનું વિમોચન કરતાં કહ્યું કે ગાંધીજી સમજી ગયા હતા કે ભારતનું ભાગ્ય બદલવા પહેલાં ભારતને સમજવો પડશે અને તેના માટે તે આખા વર્ષ દેશમાં ફર્યા. ભાગવતે કહ્યું કે તેના માટે બાપુએ પોતાને ભારતના સામાન્ય લોકોની આશાથી, તેમની પીડાઓથી એકરૂપ થઇને આ બધા વિચાર કર્યા અને આ વિચારની દૃષ્ટિનું મૂળ દરેક ભારતીય હતા એટલા માટે તેમને પોતાન હિન્દુ હોવા પર ક્યારેય શરમ ન આવી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter