લખનઉઃ પેટાચૂંટણીમાં મળેલા વિજયે સમાજવાદી પાર્ટી (સપા)માં પ્રાણ ફૂંક્યો છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે સપા-બસપાનો મોરચો રચીને નવા રાજકીય સમીકરણ રચ્યાં છે. ગોરખપુર અને ફૂલપુરમાં વિજય મેળવ્યા બાદ અખિલેશ ૧૪મી માર્ચે માયાવતીને મળવા તેમના ઘરે ગયા હતા, એ બાદ ૧૫મીએ અખિલેશ પોતાના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે જનેશ્વર મિશ્રા પાર્ક પહોંચ્યા હતા.