ભારત - બ્રાઝીલ વચ્ચે ટેક્નોલોજી - પાવર સહિતના ૧૫ કરાર

Wednesday 29th January 2020 07:52 EST
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝીલના પ્રમુખ જે એમ બોલસેનારો વચ્ચે ૨૫મી જાન્યુઆરીએ દ્વિપક્ષીય વાટાઘાટો પછી બંને દેશોએ સંરક્ષણ અને સલામતી, ટેક્નોલોજી, પાવર, વેપાર અને વાણિજ્ય, કૃષિ, નાગરિક ઉડ્ડયન, પર્યાવરણ, આરોગ્ય અને ઈનોવેશન સહિત વિવિધ ક્ષેત્રોમાં ૧૫ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યાં હતાં.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, અગાઉ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં નવી ગતિ લાવવાના આશયથી વિવિધ મુદ્દે વ્યાપક ચર્ચા થઈ હતી. ભારત અને બ્રાઝીલ વચ્ચે જૈવ ઊર્જા સહયોગ અંગે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. આ સિવાય ક્રૂડ અને નેચરલ ગેસના ક્ષેત્રમાં સહયોગ માટે પણ એમઓયુ પર હસ્તાક્ષર કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter