ભારતના ૧૦થી વધુ રાજ્યોના ૭૦ ટકા એટીએમ ‘કેશલેસ’

Thursday 19th April 2018 08:10 EDT
 
 

નવીદિલ્હીઃ આ વખતે દેશભરમાં અક્ષય તૃતીયાનો તહેવાર રોકડ વિના જ મનાવવામાં આવ્યો હતો. આ દિવસે લોકો સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે પરંતુ દેશના ૧૦થી વધુ રાજ્યોમાં રોકડની ભારે અછતના કારણે લોકો ખરીદી કરી શક્યા નહોતા. દેશના ૧૦થી વધુ રાજ્યોમાં ૭૦ ટકા કરતા વધુ એટીએમ ખાલીખમ થઇ ગયા છે. રોકડની અછતને કારણે અડધા દેશમાં હાહાકાર મચી ગયો છે. રોજિંદી જરૂરિયાતો ઉપરાંત લગ્નથી માંડીને સારવાર માટે લોકો પૈસા વગર વલખાં મારી રહ્યાં છે. મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક સહિતના ૧૦થી વધુ રાજયોમાં રોકડની ભારે અછત વર્તાઇ રહી છે. ગુજરાત સહિતના સંખ્યાબંધ રાજ્યોમાં બેન્કોએ રોકડ ઉપાડ માટેની મર્યાદા લાદી દીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter