ચેન્નઈઃ અભિનેતાથી રાજનેતા બનેલા કમલ હાસને તમિલનાડુના અરાવકુરિચિમાં ચૂંટણી અભિયાન દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, આઝાદ ભારતનો પહેલો આતંકી હિંદુ હતો. તેનું નામ નાથૂરામ ગોડસે હતું. અહીંથી જ આતંકની શરૂઆત થઈ હતી. હાસને કહ્યું કે, ‘હું આ વાત એટલા માટે નથી કહી રહ્યો કેમ કે આ મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે. પરંતુ એટલે કહી રહ્યો છું કે કેમ કે મારી સામે ગાંધીની પ્રતિમા છે.’ હાસને કહ્યું કે તે જ હત્યાનો જવાબ શોધવા આવ્યા છે.
હાસને વધુમાં કહ્યું કે, ‘હું એક એવા ભારત ઈચ્છુ છું જ્યાં તમામને સમાનતા મળે. હું એક સારો ભારતીય છું અને હું તો એ જ ઈચ્છું છું.’ હાસન આ પહેલાં નવેમ્બર ૨૦૧૭માં પણ હિંદુ કટ્ટરવાદ પર નિવેદન આપીને વિવાદોમાં આવ્યા હતા.