ભારતમાં કોરોનાનો મૃત્યુદર ૨.૪૯ ટકા

Wednesday 22nd July 2020 07:30 EDT
 

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ૨૧મી જુલાઈએ ૧૧૭૧૪૪૬, કુલ મૃત્યુઆંક ૨૮૪૮૮ અને રિકવરી આંક ૭૩૭૮૦૮ નોંધાયો હતો. કોરોના અંગેના સર્વે પ્રમાણે વિશ્વમાં કોરોનાના કુલ દર્દીઓ પૈકી સરેરાશ ૧.૭૮ ટકા દર્દીઓ ભારતમાં મૃત્યુ પામ્યા છે. ભારતમાં મૃત્યુ દર ૨.૪૯ ટકા છે જેનો આધાર લઈને કે ઉલ્લેખ કરીને જ કેન્દ્ર સરકાર વિશ્વ સમક્ષ એવી દાદ મેળવવાનો પ્રયત્ન કરે છે કે અમારા દેશમાં દર્દીઓની સંખ્યા ભલે ૧૦ લાખ પાર થઈ અને પોઝિટિવ કેસ વધે છે, પણ માત્ર ૨.૪૯ ટકા દર્દીઓ મત્યુ પામ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter