મધ્ય પ્રદેશમાં રાહુલનો ૧૧ સંતના આશીર્વાદ લઈને રોડ શો

Wednesday 19th September 2018 07:25 EDT
 

નવી દિલ્હી: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ચૂંટણી રાજ્ય મધ્ય પ્રદેશમાં પ્રચારની શરૂઆત કરી દીધી છે. તેઓએ ભોપાલમાં એક ભવ્ય રોડ શો કર્યો હતો જેમાં હજારો લોકો જોડાયા હતા. આ રોડ શો બાદ લોકોને સંબોધતી વેળાએ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિવિધ મુદ્દે ઘેર્યા હતા અને કેન્દ્ર સરકારની નીતીઓની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશમાં ૧૧ સંતોના આશિર્વાદ ભવ્ય રોડ શોની શરૂઆત કરી હતી, આશરે ચાર કીમી લાંબા આ રોડ શોમાં શિવ ભક્ત રાહુલ ગાંધીના પોસ્ટરો સાથે તેમના અનેક ચાહકો જોડાયા હતા જ્યારે મધ્ય પ્રદેશમાં રોડ પર પણ રાહુલ ગાંધીના શીવની ભક્તી કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા જેમાં શીવ ભક્ત રાહુલનું સ્વાગત છે તેવો સંદેશો પણ લખવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter