મરાઠા અનામતની ઉજવણી માટે તૈયાર રહોઃ ફડણવીસ

Friday 16th November 2018 08:40 EST
 

મુંબઈઃ મરાઠા સમાજને શૈક્ષણિક અને સરકારી નોકરીમાં અનામત આપવા નિયુક્ત કરવામાં આવેલા પછાતવર્ગ આયોગનો અહેવાલ ૧૫મીએ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં મરાઠા સામજને ૧૦ ટકા અનામત આપવાની ભલામણ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અહમદનગરમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક રેલીને સંબોધન કરતા કહ્યું કે પછાત વર્ગનો અહેવાલ મળી ગયો છે અને ૧ ડિસેમ્બરે ઉજવણીની તૈયારી કરો. અહેવાલમાં એવું સૂચન કરાયું છે કે ઓબીસીને આપેલી અનામતમાં છેડછાડ કર્યા વિના મરાઠા સમુદાયને શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામત આપો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter