માતાના કહેવાથી આતંકીનું આત્મસમર્પણ

Wednesday 09th November 2016 11:14 EST
 

શ્રીનગરઃ પોલીસે લશ્કરના એક આતંકવાદી ઉમર ખાલિદ મીર ઉર્ફ સમીનને પકડ્યો છે. તે મે મહિનામાં આતંકવાદમાં સામેલ થયો હતો અને ટ્રેનિંગ લેવા પાકિસ્તાન ગયો હતો. ત્યાંથી તેણે કેટલીય આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો હતો. તેના કબજાથી મોટા પ્રમાણમાં હથિયાર અને અન્ય સામાન મળ્યો છે. ત્રીજીએ રાતે ભારતીય ચોકીને સૂચના મ‌ળી હતી કે, સોપોરના ગામ તુજારમાં લશ્કરના આતંકીઓ છુપ્યા હતા. તે પછી પોલીસે સમગ્ર ગામને ઘેરી લીધું હતું. જ્યારે યુવક બહાર નીકળવા પ્રયત્ન કરતો હતો ત્યારે તે નિષ્ફળ રહ્યો. તેના માતા-પિતાએ તેને આત્મસમર્પણ કરવા કહ્યું. સૈન્યએ પણ કહ્યું હતું કે, તે આત્મસમર્પણ કરેતો તેના પર નરમ વલણ અપનાવાશે. કાશ્મીરી યુવકની માતાએ તેને સોગંદ આપીને આત્મસમર્પણ કરવા રાજી કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter