નવી દિલ્હીઃ ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશનો પ્રયાસ કરનાર માલદિવ્સનાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબ અબ્દુલ ગફુરને ભારતે પરત મોકલી દીધાં છે. ગફુર પહેલી ઓગસ્ટે કોઈ પણ માન્ય પ્રવાસ દસ્તાવેજો વિના એક કાર્ગો શિપથી તામિલનાડુના તુતીકોરીનમાં આવી પહોંચ્યા હતા. તામિલનાડુ પોલીસના જણાવ્યા અનુસાર, કોસ્ટ ગાર્ડ તેમને હિંદ મહાસાગરમાં આવેલા આર્ચિપેલાગો ખાતે પરત મોકલી આપ્યા હતા. ગફુર ભારતમાં રાજ્યાશ્રય માગવાની યોજના બનાવી રહ્યાં હતા. માલદિવ્સના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સામે ભ્રષ્ટાચારના સંખ્યાબંધ કેસ ચાલે છે. તેમનું કહેવું હતું કે માલદિવ્સમાં મારા જીવને જોખમ છે અત્યાર સુધી તેઓ માલદિવ્સમાં નજરકેદ હેઠળ હતા.