મુંબઈઃ માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ૯ વર્ષ જેલમાં રહ્યા બાદ જામીન મેળવનાર લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતને ૨૩મી ઓગસ્ટે સવારે તળોજા જેલની દસ્તાવેજી કાર્યવાહી પૂરી કર્યા બાદ છોડી દેવાયા હતા. જેલ પર જ આવેલા સૈન્યના વિહિકલમાં તે પહેલા સૈન્યની કોલાબા ઓફિસે ગયા હતા અને ત્યાં હાજરી આપ્યા બાદ પુણે ગયા હતા. તેમનો પરિવાર પુણે રહે છે. જોકે ઘરે જતાં પહેલાં તેમણે પુણેમાં પણ સૈન્યના કાર્યાલયે હાજર થવું પડશે. સૈન્યમાં હવે તેમને નવી પોસ્ટ આપવામાં આવશે.