મોદી સરકારના કામથી ૬૫ ટકા ભારતીયોને સંતોષ છે

Saturday 20th February 2016 05:47 EST
 

વિકાસના વચનો સાથે કેન્દ્રમાં સત્તામાં આવેલી મોદી સરકાર એક યા બીજા કારણોસર પોતાની લોકપ્રિયતા ગુમાવી રહી હોવાનું કેટલાક લોકો માની રહ્યા છે, પરંતુ તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેનાં તારણો અનુસાર ૬૫ ટકા ભારતીયો મોદી સરકારની કામગીરીથી સંતુષ્ટ છે. લગભગ ૧.૪૦ લાખથી વધુ લોકો પર થયેલા ‘યુથ ફોર ધ નેશન’ પોલમાં વિવિધ ૩૦ પ્રશ્નો પુછાયા હતા. તેમાં ૧૦ લાખથી વધુ જવાબો મળ્યા હતા. આંકડાઓ અનુસાર ૭૬ ટકા લોકો સહમત હતા કે, વડા પ્રધાન મોદીએ કરેલા વિદેશ પ્રવાસોથી ભારતને નોંધપાત્ર લાભ થઈ શકે છે. ૬૭ ટકા લોકોના મતે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન રોજગારીની નવી તકો ઊભી કરી શકે છે. એક નવતર અભિગમ સાથે શરૂ કરાયેલા ‘સ્વચ્છતા અભિયાન’ને જોકે ૫૩ ટકા લોકોએ જ સમર્થન આપ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter