નવી દિલ્હીઃ સિટિઝન્સ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) કાયદા પર દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર વર્લ્ડ મીડિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. હિંસક પ્રદર્શન અને કાયદા અંગે વર્લ્ડ મીડિયાએ કહ્યું કે આ કાયદા દ્વારા વડા પ્રધાન મોદીની કટ્ટર ચહેરો ખુલ્લો પડ્યો છે. તેને ભારતીય લોકશાહીના મૂલ્ય સિદ્ધાંતોને નબળા પાડ્યા છે.
• ન્યૂ યોર્ક ટાઈમ્સઃ આ કાયદાથી મોદીની કટ્ટર છાપ બહાર આવી છે. માનવાધિકાર જૂથો અને ઘણા દેશોની સરકારોએ આ કાયદાની ટીકા કરી છે. ભારતના લોકો હિંદુ રાષ્ટ્રવાદી એજન્ડાને આગળ ધપવા નહીં દે.
• સીએનએનઃ મોદી વ્યાપક સમર્થન મળ્યું એનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. નાગરિકતા કાયદાની પહેલથી નાગરિકોને ઘણું નુકસાન થયું છે.
• ધ ગાર્ડીયનઃ ભારત વિવિધતા ભરેલો દેશ છે. ગત ૬ વર્ષમાં મોદીની કોઈને કોઈ યોજના કે નીતિ અંગે વિરોધ થતો આવ્યો છે. હવે તેના કાર્યકાળનું સૌથી મોટું પ્રદર્શન થઈ રહ્યું છે. પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મોદીવિરોધી લોકો એકઠાં થઈ રહ્યાં છે.
• બીબીસીઃ સરકારનું કહે છે કે કાયદાથી ધાર્મિક ઉત્પીડનનો શિકાર થનારને દેશમાં શરણ મળશે. આલોચકોનું કહેવું છે કે તેનો વાસ્તવિક એજન્ડા ભારતના લઘુમતી મુસ્લિમોને ઘટાડવાનો છે. સરકારની યોજના છે કે નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન્સનો ઉપયોગ કરીને તમામ ઘુસણખોરોને ૨૦૨૪ સુધી દેશમાંથી બહાર કાઢી મૂકવામાં આવે.