ગાલવાનઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ૧૯મી જુલાઈએ લદ્દાખની મુલાકાત દરમિયાન લુકુંગમાં ગાલવાનના એ જાંબાજ સૈનિકોને મળ્યા હતા. આ સૈનિકો ચીનના સાથેની અથડામણમાં ઈજા પામ્યા હતા. ઇજાગ્રસ્તો સૈનિકોમાંથી કેટલાય જવાનો ફરી સાજા થઈને ડ્યૂટી પર પાછા ફર્યા છે. ૭૬ ઈજાગ્રસ્ત સૈનિકોમાંથી ૧૮ લેહમાં હતા. આ તમામ ૧૮ સૈનિકોને લેહની હોસ્પિટલમાં સાજા થતા રજા આપી દેવાઈ હતી. રાજનાથસિંહે લેહ, લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન અમરનાથ ગુફામાં બરફનાં શિવલિંગ બાબા બર્ફાનીના દર્શન કર્યાં હતાં.