રામ મંદિરમાં હું પણ પથ્થર લગાવીશઃ ફારુક અબ્દુલ્લા

Friday 25th November 2022 07:08 EST
 
 

જમ્મુઃ નેશનલ કોન્ફરન્સ પક્ષના વડા ફારુક અબ્દુલ્લાહે કહ્યું હતું કે ભગવાન શ્રી રામ માત્ર હિન્દુઓના નહીં, આખા જગતના છે. અયોધ્યાના વિવાદિત જમીન માલિકી અંગેના કેસમાં સુપ્રીમ કોર્ટે 10 જાન્યુઆરીની મુદ્દત આપ્યા પછી તેમણે આ નિવેદન આપ્યું હતું. અયોધ્યાની વિવાદિત જમીનની આ તકરાર સામે બેસીને વાતચીતથી ઉકેલવાનો આગ્રહ કરતાં ખાતરી ઉચ્ચારી હતી કે સંવાદથી આ વિવાદ ચોક્કસ ઉકેલાઈ જશે. તેમણે કહ્યું હતું કે ભગવાન શ્રી રામ તો સમસ્ત વિશ્વના ભગવાન છે, રામ મંદિર નિર્માણ માટે હું પણ પથ્થર લગાવીશ. ફારુક અબ્દુલ્લાહે કહ્યું હતું કે ભગવાન રામથી કોઈને વેર નથી, હોવું પણ ન જોઈએ, વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter