રામના મૂલ્યો ‘સબકા સાથ, સબકા વિકાસ’ની પ્રેરણા

Thursday 03rd November 2022 07:50 EDT
 
 

અયોધ્યા: અયોધ્યામાં દિવાળીની પૂર્વસંધ્યાએ દિપોત્સવમાં સામેલ થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભગવાન રામનું શાસન તેમની સરકારના “સબકા સાથ, સબકા વિકાસ” મંત્ર પાછળની પ્રેરણા છે. મોદીએ રામ કથા પાર્ક ખાતે તેમના સંબોધનમાં ભગવાન રામ સાથે ભાજપ સરકારના સર્વગ્રાહી વિકાસના મંત્રને જોડ્યો હતો. મોદીએ રામ કી પૌડી ખાતે પણ બીજું ટૂંકું સંબોધન કર્યું હતું. અહીં સરયૂ નદી કિનારે રેકોર્ડ 15.76 લાખ દીવા સ્વયંસેવકો દ્વારા પ્રગટાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે ભગવાન રામે તેમના વચનો, વિચારો અને રાજ દ્વારા સ્થાપિત કરેલા મૂલ્યો ‘સબકા સાથ, સબકા વિકાસ’ની પ્રેરણા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter