રાષ્ટ્રપતિના હસ્તે ૨૨ બાળકોને રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર

Wednesday 29th January 2020 07:48 EST
 
 

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં દેશનાં ૨૨ બાળકોને રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી સન્માનિત કર્યાં હતાં. સ્વૈચ્છિક સંસ્થા ભારતીય બાલ કલ્યાણ પરિષદે આ પુરસ્કારોની જાહેરાત કરી હતી. પુરસ્કાર મેળવનારાં બાળકોમાં ૧૦ બાળા પણ સામેલ છે. એક બાળકને મરણોત્તર પુરસ્કાર અપાયો. દરેકની કહાણી પ્રેરણાદાયી છે. કોઇએ મિત્રોને બચાવવા પોતાનો જીવ ગુમાવ્યો તો કોઇએ દુર્ઘટનામાં પૂરા પરિવારને બચાવી લીધો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter