નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના સંક્રમિત થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી શેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે હાલ તેઓ હોમ આઈસોલેશનમાં છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી કેરળ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ, આસામ અને તામિલનાડુની ચૂંટણીઓ માટે રેલીઓ કરી રહ્યા હતા. બે દિવસ પહેલાં જ તેમણે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને બંગાળમાં થનારી પોતાની તમામ રેલીઓને રદ કરી દીધી હતી. જોકે તેમણે બીજા પક્ષોને પણ ચૂંટણી રેલીઓ રદ કરવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ બંગાળની તેમની દરેક જાહેર રેલીઓ રદ કરે છે. હું દરેક રાજકીય પક્ષોને સલાહ આપુ છું કે, હાલના સમયમાં જાહેર રેલીઓના આયોજનથી ભયંકર પરિણામ આવી શકે છે.