નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષા વડા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે અત્યારે આરામ માટે અજ્ઞાતવાસમાં ગયેલા રાહુલ ગાંધી વહેલામાં વહેલા મે માસમાં કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળશે. આ અંગેની કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક, તેમ જ એઆઈસીસીની બેઠક મે માસમાં અથવા તો દિલ્હી કે કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડમાં યોજાશે. પક્ષના વરિષ્ઠ નેતાઓમાં આ સંદર્ભે ગણગણાટ ચાલી રહ્યો છે કે પક્ષના ઉપપ્રમુખના પરત આવ્યા બાદ આ અંગેનો નિર્ણય લેવાશે. પક્ષના નેતાઓનું કહેવું છે કે રાહુલ ગાંધી આવતા મહિને રજા પરથી પરત આવશે. અગાઉ કોંગ્રેસે કહ્યું હતું કે પક્ષની નેતાગીરીની ચૂંટણી ૩૦મી સપ્ટેમ્બરે થશે. પણ હવે તેઓનું કહેવું છે કે રાહુલ પરત આવતા તેઓ પક્ષના વડાનું સ્થાન ક્યારે લેવું તે નક્કી કરશે. તેઓ જેટલી જલ્દી આ પદ સંભાળે તેટલું સારું છે.