નવીદિલ્હીઃ સરકારે કરવેરા વિભાગો દ્વારા ટ્રિબ્યુનલ કે કોર્ટમાં અપીલ કરવા માટેની રકમની લઘુત્તમ મર્યાદામાં વધારો કર્યો છે. સરકારના આ નિર્ણયને પગલે કાનૂની કેસની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે. એ જ પ્રમાણે કરવેરા વિભાગ કેસમાં રૂ. ૨૦ લાખના વેરાની સંડોવણી હશે તો જ આઈટીએટી/સીઈએસટીએટીમાં અપીલ દાખલ કરી શકશે. હાલમાં આ મર્યાદા રૂ. ૧૦ લાખની છે.
એ જ પ્રમાણે કરવેરાની સંડોવણી રૂ. ૫૦ લાખની હશે તો હાઇકોર્ટમાં અપીલ કરી શકશે. હાલમાં હાઇકોર્ટમાં અપીલ કરવા માટેની લઘુતમ મર્યાદા રૂ. ૨૦ લાખની છે.