રૂ. ૨૦૦૦ની નોટોનું પ્રિન્ટિંગ બંધઃ પાછી પણ ખેંચાઈ શકે

Thursday 02nd November 2017 08:34 EDT
 

નવી દિલ્હીઃ તા. ૧ઃ રૂ. ૨૦૦૦ની નોટ અંગે વ્યક્ત થયેલી અનેક આશંકાઓ વચ્ચે આરટીઆઈમાં એવો ખુલાસો થયો છે કે રિઝર્વ બેન્કે આ નોટનું પ્રિન્ટિંગ હવે બંધ કરી દીધું છે. ‘ઈન્ડિયા ટુડે’ નેટવર્કના આરટીઆઈ સેલએ કરેલી અક અરજીના જવાબમાં સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (એસપીએમસીઆઈએલ)એ કહ્યું કે રૂ. ૨૦૦૦ની નોટો છાપવા માટે આરબીઆઈ તરફથી કોઈ માગણી કરાઈ નથી. હાલ એસપીએમસીઆઈએલ માત્ર રૂ. ૫૦૦ અને તેનાથી ઓછા દરની નોટો (રૂ. ૫ અને રૂ. ૨ સિવાય) પ્રિન્ટ કરી રહી છે. આ ઘટનાને પગલે એવો સવાલ પણ થઈ રહ્યો છે કે બે હજારની નોટ ચલણમાંથી પાછી પણ ખેંચાઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter