નવી દિલ્હીઃ જમ્મુ બસ સ્ટેન્ડ પર આઠમીએ ગ્રેનેડથી હુમલો કરનાર સગીર છે. ૧૨ માર્ચે તે ૧૬ વર્ષનો થશે. પૂછપરછમાં તેણે જણાવ્યું કે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓએ રૂ. ૫૦ હજાર આપીને તેની પાસે ગ્રેનેડ ફેંકાવ્યા હતા. કુલગામનો આ સગીર હુમલા પછી ભાગતા પકડાયો હતો. પોલીસ મુજબ તે ૯મા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેના પિતા પેઇન્ટર છે.
આધારકાર્ડ અને અન્ય ઓળખપત્રો મુજબ તેની જન્મ તારીખ ૧૨ માર્ચ, ૨૦૦૩ છે. તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરતા પહેલાં તેની વયની તપાસ કરાવાશે. તેને અત્યારે બાળસુધાર ગૃહ મોકલાશે. સરકાર અદાલત પાસે મંજૂરી માગશે કે આતંકવાદ વિરોધી કાયદાની જોગવાઈ હેઠળ તેના વિરુદ્ધ કેસ ચલાવાશે.