વગર ગુનાએ રાજા ૪૬૯ અને કનિમોઝી ૧૯૩ દિવસ જેલમાં રહ્યાં

Friday 22nd December 2017 04:10 EST
 
 

નવી દિલ્હી, તા. ૨૧ઃ બહુચર્ચિત ટુ-જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં ચુકાદો આવી ગયો છે. આમાં પૂર્વ સંદેશવ્યવહાર પ્રધાન એ. રાજા અને ડીએમકે નેતા એમ. કે. કનિમોઝી જેવાં અનેક નામો સામેલ હતાં. હવે તેઓ આ કેસમાં નિર્દોષ સાબિત થયા છે. પરંતુ આ કેસમાં પહેલાં એ રાજાને ૪૬૯ અને કનિમોઝીને ૧૯૩ દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું.
રાજા યુપીએ સરકારમાં સંદેશવ્યવહાર પ્રધાન હતા અને તેમણે આ કેસમાં પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. એ પછી બીજી ફેબ્રુઆરી ૨૦૧૧માં તેમને જેલ જવાનો વારો આવ્યો હતો. આશરે ૧૪ મહિના પછી ૧૫ મે ૨૦૧૨માં તેમને જામીન મળ્યા હતા. તેઓ નિર્દોષ સાબિત થયા પણ તેમને એ માટે જેલમાં ૪૬૯ દિવસો ગાળવા પડ્યા હતા. આ જ રીતે ડીએમકે પ્રમુખ અને પાંચ વખત રાજ્યના મુખ્ય પ્રધાન રહી ચુકેલા એમ. કરુણાનિધિનાં દીકરી અને રાજ્યસભા સાંસદ (તે વખતે) કનિમોઝી પણ ૧૯૩ દિવસ સુધી જેલમાં રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter