લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હિંદુવાદી નેતા અને વિશ્વ હિંદુ મહાસભાના અધ્યક્ષ રણજીત બચ્ચનની બીજીએ ખુલ્લેઆમ હત્યા કરી દેવાતા ભારે સનસનાટી મચી ગઈ છે. ગોરખપુરના રહેવાસી રણજીત વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા તે સમયે બાઇક પર સવાર બદમાશોએ તેમના માથામાં અનેક ગોળી ધરબી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં આદિત્ય બચ્ચન અને તેમની પત્ની કાલિન્દી વચ્ચેના સંબંધો વણસેલા હોવાની અને ગોરખપુર પોલીસ સ્ટેશનમાં તે અંગે કેસ દાખલ હોવાની માહિતી આપી હતી. ક્રાઈમ બ્રાન્ચની આઠ જેટલી ટીમે આ કેસને ઉકેલવા તપાસ શરૂ કરી દીધી છે અને સીસીટીવી ફૂટેજ વગેરે ચેક કરવામાં આવી રહ્યા છે.