કટરાઃ માતા વૈષ્ણોદેવીનો ૧૩ કિ.મી. લાંબો પગપાળા માર્ગ આજકાલ વિદેશી ફૂલોથી મહેકી રહ્યો છે. શ્રાઇન બોર્ડે બ્રિટન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, સ્વિત્ઝર્લેન્ડ અને યુએઇથી વિવિધ પ્રકારના ફૂલ મંગાવ્યા છે. વૈષ્ણોદેવીમાં ૯ દિવસ ચાલનારા શતચંદી યજ્ઞના વૈદિક મંત્ર અહીં દરેક જગ્યાએ સંભળાઈ રહ્યાં છે. મહા અષ્ટમીના દિવસે યજ્ઞની પૂર્ણાહૂતિ થશે. આ વખતે શ્રાઈન બોર્ડના ભોજનાલયમાં વ્રત રાખનારા શ્રદ્ધાળુઓ માટે ભોજનની ખાસ વ્યવસ્થા કરાઈ છે જ્યાં દરરોજ હજારો ભક્તો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે.