શેરબજારમાં રૂ. ૮૨૦૦ કરોડનું કરચોરી કૌભાંડ બહાર આવ્યું

Tuesday 20th October 2020 16:14 EDT
 

નવી દિલ્હીઃ રેવન્યુ ડિપાર્ટમેન્ટે શેરબજારમાં કેપિટલ ગેઇન્સ ટેક્સ આપવામાંથી મુક્તિ મેળવવા ખોટી રીતે ખોટ ઊભી કરવાનું રૂ. ૮૨૦૦ કરોડનું કૌભાંડ ઝડપી પાડયું હોવાનું ૧૯મીએ ખૂલ્યું છે. વર્ષ ૨૦૧૦માં આ કૌભાંડમાં નુક્સાન દર્શાવનાર કંપનીઓએ તે વખતે બીએસઈના ઈલિક્વિડ (નજીવા સોદા ધરાવતાં) ડેરિવેટિવ્ઝ પ્લેટફેર્મનો દુરુપયોગ કર્યો હતો. જેમાં તેમણે અસાધારણ નીચા પ્રીમિયમ ભાવે ઓપ્શન્સ ટ્રેડિંગ કર્યાં હતાં. તે દિવસોમાં બીએસઈ પ્લેટફેર્મ પર ૭૦-૧૦૦ ટકા સોદાઓ આ રીતે પરસ્પર સમજૂતીથી કરાયા હતા. આ દિશામાં વધુ તપાસ માટે હવે જ્યારે વિવિધ શહેરોના ૨૨ જેટલા બ્રોકર્સને ત્યાં દરોડા પડાયા ત્યારે  કૌભાંડ બહાર આવ્યું. પ. બંગાળ આ પ્રકારની કરચોરી માટેનું મુખ્ય કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું છે. સત્તાવાળાઓએ આ અંગે હજુ કોઈ ટિપ્પણી કરી નથી. બજાર વર્તુળોના મતે કૌભાંડ જૂનું હોવા ઉપરાંત તેનું કદ બજારના વોલ્યૂમ સામે ખૂબ નાનું છે અને તેથી જ બજારે કોઈ નેગેટિવ પ્રતિક્રિયા દર્શાવી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter