શ્રીલંકન નેવી દ્વારા ૨૦ ભારતીય હોડીઓનો કચ્ચરઘાણ

Thursday 07th September 2017 08:25 EDT
 

રામનાથપુરમઃ કાચાથિવુ ટાપુમાંથી માછીમારી કરી પરત ફરી રહેલા તમિલનાડુના માછીમારો પર શ્રીલંકાની નેવીએ હુમલો કરી તેમની ૨૦ હોડીઓનો છઠ્ઠીએ કચ્ચરઘાણ કરી નાખ્યો હતો.

આ હુમલામાં ૧૦ ભારતીય માછીમારોને પણ ઈજા થઈ છે. રામેશ્વરમાંથી ૨૫૦૦ માછીમારોએ સમુદ્રમાં પોતાની યાત્રા શરૂ કરી હતી. જોકે, શ્રીલંકન નેવીએ તેમને બળજબરીપૂર્વક પરત મોકલી દીધા છે. ચાલુ વર્ષમાં શ્રીલંકા દ્વારા અટકાયત કરાયેલા ૮૦ ભારતીયોને મુક્ત કરાયા પછી શ્રીલંકન નેવીએ આ હુમલો કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter