સબરીમાલામાં મહિલાઓને છેક ગર્ભગૃહ સુધી જવા દોઃ કેરળ સરકારનો યુ ટર્ન

Wednesday 09th November 2016 11:21 EST
 
 

નવીદિલ્હીઃ કેરળના સબરી માલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે અત્યાર સુધી ખૂબ જ અક્કડ વલણ ધરાવતી કેરળ સરકાર હવે ઢીલી પડી છે અને આજે તો સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે અમે તો ઇચ્છીએ છીએ કે મહિલાઓને મંદિરના છેક ગર્ભગૃહ સુધી જવાની મંજૂરી હોવી જોઇએ. આમ કેરળ સરકાર અચાનક જ યુ ટર્ન લીધો હતો. અગાઉ સરકારે મંદિર પ્રશાસન બોર્ડની તરફેણ કરી હતી અને વર્ષ ૨૦૦૭માં મહિલાઓને મંદિરના ગર્ભગૃહમાં જવાની મનાઈ ફરમાવી હતી.

અગાઉ ડાબેરીઓના નેતૃત્વની સરકારે ૨૦૦૭માં એક પ્રગતિવાદી પગલું ભરીને મહિલાઓને મંદિર પ્રવેશને મંજૂરી આપી હતી જેને યુડીએફ નકારી હતી. આ કેસમાં રાજ્યનું વલણ શું છે એવું પૂછાતા વરિષ્ઠ વકીલ ગુપ્તાએ કહ્યું હતું કે રાજ્ય એની મૂળ એફિડેવિટ પર અડગ છે અને વધારાની કોઇ જ એફિડેવિટ કરવી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter