નવી દિલ્હી: સિયાચીનમાં ઉત્તર ગ્લેશિયર પાસે સોમવારે થયેલા હિમસ્ખલનમાં આર્મીના ૪ જવાન સહિત ૬ લોકોનાં મોત થયા છે. અહેવાલો પ્રમાણે સોમવારે બપોરે ૩.૩૦ વાગે ૧૮૦૦૦ ફૂટની ઊંચાઈએ હિમસ્ખલન થતાં આર્મીની કેટલીક ચોકી તબાહ થઈ ગઈ હતી. જવાનોના બચાવ અને રાહતની કામગીરી તુરંત ચલાવાઈ હતી. હિમસ્ખલન થયું ત્યારે ૮ જવાનોની એક ટુકડી ચોકી માટે નીકળી હતી. પેટ્રોલિંગમાં ગયેલા જવાનો ચોકી પર બીમાર પડેલા એક જવાનને લેવા માટે ગયા હતા ત્યારે જ હિમસ્ખલન થતાં તમામ જવાનો બરફમાં દબાઈ ગયા હતા.