પુરીઃ સુપ્રીમ કોર્ટે પુરીમાં રથયાત્રાને પરવાનગી આપતાં જ ભગવાન જગન્નાથ સહિત બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામની રથયાત્રા નીકળી હતી. સવારે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા દેવીને ગર્ભગૃહમાંથી લાવીને રથોમાં બિરાજીત કરવામાં આવ્યા હતા. પુરી શંકરાચાર્ય સ્વામી નિશ્ચિલાનંદ સરસ્વતી અને ગજપતિ મહારાજ દિબ્યસિંહ દેબ પણ પૂજન કરવા પહોંચ્યા હતા. પૂજન બાદ પુરીના ગજપતિ મહારાજ દિબ્યસિંહ દેબ પણ પૂજન કરવા પહોંચ્યા હતા. પૂજન બાદ પુરીના ગજપતિ મહારાજે સોનાની સાવરણીથી જગન્નાથજીના રથની પહિંદ વિધિ કરી કરી હતી. રથને મંદિરની સામે લાવવામાં આવ્યા હતા. પુરીમાં રથયાત્રા માટે ૩૬ કલાક સુધી ટોટલ લોકડાઉન જાહેર કરાયું હતું.
ભક્તોને લાઇવ ટેલિકાસ્ટ પર જ રથયાત્રા જોવાનું સૂચન કરાયું હતું. ૨૩મી જૂને ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ ગુંડિયા મંદિરે પહોંચી ગયા હતા. પુરી મંદિર ટ્રસ્ટે ૨૩મીએ જણાવ્યું હતું કે, હવે અગામી ૭ દિવસ સુધી ભગવાન અહીં જ રહેશે. રથ ઉત્સવ અહીં જ મનાવાશે.