સૌએ સાથે મળી મંદિર બનાવવું જોઈએ: ભાગવત

Tuesday 12th November 2019 15:21 EST
 
 

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સર સંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે, દાયકાઓથી ચાલતા કાનૂની જંગનો અંતિમ અને નિર્ણાયક ચુકાદો આવી ગયો છે. હવે જૂની વાતો ભૂલીને સૌએ સરકાર સાથે મળીને રામમંદિર બનાવવું જોઈએ. કોર્ટે મસ્જિદ બનાવવા માટે સરકાર દ્વારા મુસ્લિમોને જમીન આપવાની વાત કરી છે. સરકારે નક્કી કરવાનું છે કે મુસ્લિમોને ક્યાં જમીન આપવામાં આવે. કોઈએ આ ચુકાદાને હાર કે જીતની રીતે જોવો જોઈએ નહીં. જનતાની ભાવનાને ન્યાય મળ્યો છે. જે લોકોએ મંદિર બનાવવા માટે બલિદાન આપ્યાં છે તેમને ભાગવતે અભિનંદન આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter