નવી દિલ્હી: કોરોનાના કારણે ભારતમાં સ્વતંત્રતા દિવસ, ૧૫ ઓગસ્ટની ઉજવણી ધામધૂમથી નહીં થાય. લાલ કિલ્લા પરથી વડા પ્રધાન મોદી સશસ્ત્ર દળો અને દિલ્હી પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપશે. રાષ્ટ્રગાન અને ૨૧ તોપોની સલામી સાથે ધ્વજ વંદન કરાશે. રાષ્ટ્રપતિ ભવનમાં એટ હોમ રિસેપ્શન યોજાશે. તેમાં જરા પણ ભીડ નહીં હોય. મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ પણ પ્રસારિત કરાશે. આ ઉપરાંત એડવાઈઝરીમાં લોકોને સામૂહિક આયોજન નહીં કરવા ફરમાન કરાયું છે.