નવી દિલ્હીઃ સ્વિસ બેન્કોએ પોતાના ભારતીય ગ્રાહકો પાસેથી નવું સોગંધનામું માગ્યું છે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તેમના ખાતામાં ટેક્સ ચોરીના પૈસા નથી. જે પૈસા છે તેની પર ટેક્સ ચૂકવાયો છે. સ્વિસ બેન્કોએ આ પગલું જુદા-જુદા દેશોની સરકારોના દબાણ બાદ ઉઠાવ્યું છે. સ્વિસ બેન્કોએ લાંબા સમયથી ગેરકાયદે નાણાનું સુરક્ષિત આશ્રયસ્થાન માનવામાં આવે છે. આ બેન્કોએ પણ વધારે નેટવર્થવાળા વ્યક્તિઓ અને કોર્પોરેટ ગ્રાહકો પાસેથી ઓડિટર્સ સર્ટિફિકેટ માગવાનું શરૂ કર્યું છે, જેથી તેમના ધન પર સ્થિતિ સ્પષ્ટ થઈ શકે. તેમાં વેલ્થ મેનેજમેન્ટ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ ક્લાયન્ટનો સમાવેશ થાય છે. નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે એચએસબીસી બેન્કની યાદીમાં સામેલ કાળુ નાણું ધરાવતા તમામ લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે બધાની વિરુદ્ધ પુરાવા છે. એચએસબીસીની યાદીમાં ૬૨૮ નામ છે.