નૂરપુર (કાંગડા): હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં સોમવારે ખાનગી સ્કૂલની એક બસ આશરે ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડતાં ૨૭ બાળકો સહિત ૩૦ લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં બે શિક્ષક અને બસ ડ્રાઇવરનો પણ સમાવેશ થાય છે. બસમાં કુલ ૩૭ લોકો સવાર હતા. ભોગ બનેલાં બાળકોની ઉંમર ૮થી ૧૪ વર્ષની છે. તેમાંથી કેટલાક બાળકોનો સ્કૂલનો પહેલો દિવસ જ હતો.
૧૦ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયાં છે તેમાંથી ૬ની સ્થિતિ ગંભીર હતી. આ બસ મલકવાન ક્ષેત્રના વઝીર રામસિંહ પઠાનિયા મેમોરિયલ સ્કૂલની હતી. શાળા છૂટ્યા પછી બાળકોને ઘેર મૂકવા જઈ રહી હતી. ત્યારે જ ચેલી ગામ પાસે કાબૂ ગૂમાવી બસ ખીણમાં પડી હતી.
આ ઘટનામાં માર્યા ગયેલા કેટલાંક બાળકો તો પહેલા દિવસે જ સ્કૂલ ગયા હતા. રણવીર નામના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે સોમવારે તે પ્રથમ દિવસે શાળાએ ગયો હતો. બસ ચેલી પાસે પરહોંચી ત્યારે સામેથી એક મોટર સાઇકલ આવી રહી હતી. ત્યારે સાઇડ આવા જતાં બસ ખીણમાં પડી ગઈ હતી. બસનો દરવાજો ખુલ્લો હોવાથી તે બહાર આવી ગયો હતો. પછી તે લાકડીના સહારે ઉપર પહોંચ્યો હતો.