જોધપુરઃ સગીરા સાથે દુષ્કર્મ કરવા મામલે જેલમાં કેદ આસારામને ૧૪મી સપ્ટેમ્બરે જોધપુરની એસસી-એસટી કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટથી પરત ફરતી વખતે મીડિયાએ અખાડા પરિષદ દ્વારા આસારામે નકલી બાબાઓની યાદીમાં સામેલ ન કરવા પર પ્રતિક્રિયા માગી તો તે ભડકી ગયા અને કહ્યું કે ન હું સંત છું ન તો કથાવાચક છું, હું તો ગધેડો છું. જ્યારે પત્રકારોએ ફરીવાર આ સવાલ કર્યો કે તમે તમારી જાતને ગધેડો કેમ કહો છો તો તે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કર્યા વિના જ જતા રહ્યા હતા.