નવી દિલ્હીઃ ઇડીએ નોટબંધી પછી નાણાની હેરાફેરીના મની લોન્ડરિંગના કેસમાં હૈદરાબાદના જાણીતા જ્વેલરી ગ્રુપ અને તેના સહયોગીઓની મિલકતો પરિસરો અને વેપારી સ્થળો તથા શો-રૂમમાંથી દરોડા પાડીને કુલ રૂ. ૮૨ કરોડનું આશરે ૧૪૬ કિલોગ્રામ સોનું જપ્ત કર્યું હતું.
એન્ફોર્સમેન્ટ ડીરેક્ટરોટે એક નિવેદનમાં એવું જણાવ્યું હતું કે હૈદરાબાદ અને વિજયવાડામાં આવેલા મુસદ્દીલાલ જવેલર્સના શોરૂમમાં, તેના પ્રમોટર કૈલાશ ગુપ્તા, બાલાજી ગોલ્ડ અને તેના ભાગીદાર પવન અગ્રવાલ, આસ્થા લક્ષ્મી ગોલ્ડ અને તેના માલિક નીલ સુંદર દરાડ અને ચાર્ટડ એકાઉન્ટન્ટ સંજય સારદાના સંકુલોમાં છેલ્લા કેટલાક દિવસોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.
આ દરોડા દરમિયાન રૂ. ૮૨ કરોડનું આશરે ૧૪૬ કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.